Documentory Video : Stay Tuned


Since a long time Admin team was planning to create a video documentary of our own city Surendranagar.

We will create a slide show video of all the possible places of our town. But to complete this task we need your help too.

Please share all the available collection of pictures which you have.

We will use maximum of them in our video.

Waiting for your positive response.

Mangal Mandir Kholo - Gujarati Prayer



મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
– નરસિંહરાવ દિવેટીયા

Maru man mor bani thanghat kare - Gujarati Lyrics



મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની
નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની
નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

Gujarati Troy


Gujarati version of Troy ! I bet you guyz will love it.

Sea of Fillings - વ્હાલ નો દરિયો



મહેકતા ફૂલ નથી મારી પાસે,
કાગળો ની કહાની મોકલું છું.
મીઠું અમૃતજળ નથી મારી પાસે,
વ્હાલ નો દરિયો મોકલું છું.
સંબંધો ની સજ્જતા નથી મારી પાસે,
આંખો ની રોશની મોકલું છું.
સાચા મોટી તો નથી મારી પાસે,
બસ એક ખુશી નો પલ મોકલું છું.
આ તો છે શબ્દો ની કહાની,
શબ્દો નથી મારી પાસે,
એક “અનેરી” આશ મોકલું છું
– અંકિતા છાંયા( અનેરી)

Khwahish - ખ્વાઇશ


 
આંખો ને સ્વપન માં ખોવાવા દો
પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો,
યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો,
રાતો ને રોશની માં રમવા દો,
‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો,
દીપક ને તિમિર માં પ્રકાશવા દો,
કિરણ ને તૃણ માં સમાવા દો,
– અંકિતા છાંયા(અનેરી)

Gujarati famous Poem - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.



મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
 હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

Shree Jagdish Aashram - Limdi














વિજયવર  યુતં   વૈ સવૅદા   દ્વૈતવાદે
અવનિતલ મહેશં લીંબડી લબ્ઘ જન્મમ્ |
સકલ ગુણીગુણજ્ઞ  નૌમિ   નારાયણત્વમ્
જગદ્ ગુરૂ શિવાખ્યં શ્રી જગન્નાથ તીથૅમ્ ||
શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી જેઓનું પૂવૉશ્રમનું નામ વૈજનાથ મોતીરામ ભટ્ટ હતું. જેઓના જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના અષાઢ સુદ નોમને સોમવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં સંસ્કારી અને ધર્મપરાયણ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણમાંજ પિતાજીની સાથે સંધ્યા-પૂજાના નિત્યક્રમમાં સાથે રહેતા.

આકઙાના ગણપતિ,હનુમાનજી,માં કાલિકા,શાલીગ્રામ વગેરે દેવોની સેવાપૂજામાં તલ્લીન થઈ જતા.તેઓએ ભોજપત્ર પર શ્રીયંત્ર પણ સિધ્ધ કરેલ. પુત્રની આવી ધાર્મિક વૃત્તિઓ જોઈને મોતીરામે તેમને બ્રહ્મવિધા શિખવવાનો આરંભ કર્યો. તેમની પાસે શ્રી ગણપતિ પુરશ્વરણ કરાવ્યું. ત્યારબાદ બાબા ત્રિપુરા- સુંદરીનું પુરશ્વરણ કરાવ્યું. પિતાજીને પુરો સંતોષ આપ્યો.

એક દર્શન અનુસાર જેણે ઇચ્છા છોડી તેને ઘર છોડવાની જરૂર નથી અને જે ઇચ્છાનો દાસ છે તેને વનમાં રહેવાથી શો લાભ? સાચો ત્યાગી જ્યાં રહે ત્યાંજ વન-જંગલ બને છે અને તેજ પ્રભુ ભજનની કંદરા છે.

વૈજનાથજીએ અભ્યાસ, રમત-ગમત, નોકરી, હુન્નર ઉધોગ વગેરે કર્યા.સાથોસાથ કર્મકાંડ અને યોગાભ્યાસ પણ ચાલુ રાખ્યા. તેઓશ્રી લીંબડી ઠાકોર સાહેબના દરબારગઢમાં આવેલ અંક્લેશ્ર્વર મહાદેવની સેવાપુજા કરતા અને ત્યાં તેઓએ ભૈરવની સાધના કરી, વધારે યોગ સાધના માટે ઠાકોર સાહેબે મંદિર પાસે જ્યાં દરબારગઢના કાંગરા દેખાય છે ત્યાં લાક્ડાના મેડા જેવી ગુફા બનાવી આપી. તેઓશ્રી યોગમાં ખુબ જ આગળ વધતા ગયા. એ અરસામાં સ્વામી વિવેકાનંદજી પણ મહારાજશ્રીના દર્શને લીંબડી પધારેલા. બંન્ને એ એક જ આસને આ ગુફામાં ઘણો બધો સમય ચર્ચા કરેલી. અત્યારે આ મંદિર પાસેના ચોક્ને વિવેકાનંદ ચોક નામ આપેલ છે. અને ત્યાં વિવેકાનંદજીની પ્રતિમા મુકવામાં આવેલ છે.

ધીરે-ધીરે તેમની સંસારીમાંથી સન્યાસી થવાની લગની લાગી, યોગ્ય ગુરુની શોધમાં ભારતભ્રમણ શરુ કર્યું. યોગનુંયોગ તેઓશ્રી જગન્નાથપુરી ગોવર્ધન મઠ પહોંચ્યા. ત્યાનાં શંકરાચાર્ય ગોવર્ધન-મઠાધીશ શ્રી ૧૧૧૧ શ્રી શંકર મધુસુદન તીર્થ સ્વામીજી મહારાજને વિનંતી કરી કે આપ મારા પરમગુરુ પદે રહી દીક્ષા આપો. પુરીના મઠાધીશે સંસાર વિશે, માતા-પિતા, પરિવાર જગત વિશે પ્રશ્નો પૂછ્યા. વૈજનાથજીએ નમ્રભાવે વિવેકપૂર્ણ સંતોષકારક જવાબો આપ્યા. શંકરાચાર્ય ખુશ થયા અને કહ્યું તમારી ઈચ્છા હશે તો હું દીક્ષા આપીશ. 

જેઠ સુદ એકમને દિવસે ક્ષૌરકર્મ કરાવ્યું.બીજને દિવસે હોમ આદિ કર્મો કરાવ્યા.ત્રીજાને દિવસે યોગપટ ધારણ કરવા આજ્ઞા આપી.પછી ગુરુમંત્ર આપી દિક્ષા આપી અને વૈજનાથજી નામ બદલીને શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજી રાખ્યું.થોડાજ સમયમાં તેમની કાર્યદક્ષતા જોઇને શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજીને પોતાના ઉત્તરાધિકારી(પટ્શિષ્ય)તરીકે નિમણુંક કરી.
 
૧૯૧૧માં દિલ્હી પંચમ જ્યોર્જનો રાજ્યાભિષેક થવાનો હતો. બધા જ ધર્મગુરુઓ જ્યોર્જને આશીર્વાદ આપી પાછા ફરતા હતાં. જગન્નાથ તીર્થ સ્વામીજીનો વારો આવ્યો. સિંહાસન સુધી જઈ ડાબા હાથના અંગુઠા વડે રાજતિલક કરી આશીર્વચનો બોલ્યા. હિંદુ પંડિતોના ધ્યાનમાં આ વાત આવી પણ ત્યાં કોઈ બોલ્યા નહીં. આશ્રમ જઈને પૂછ્યું તો કહે "શું તમે ચાહો છો કે બ્રિટીશ રાજ્ય ભારતમાં કાયમ રહે? જો જમણાં હાથે તિલક કરું તો રાજ્ય કાયમ રહે માટે મેં જાણીને ભૂલ કરી છે તો તમે ક્ષમા કરશો" આટલા દૂરંદર્શી હતાં.
 
શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજીનું શરીર સૌરાષ્ટ્ર દેશનું હોવાથી પુરીના હવાપાણી માફક આવતા નહીં. નાનો સંસાર પણ બાધારૂપ લાગતો મઠના કારભાર તથા વ્યવસ્થામાં પ્રવૃત રહેવાથી યોગસાધનામાં આગળ નહીં વધી શકાય તેવા વિચારોથી મઠની ગાદીનો ત્યાગ કરી તેઓ સૌરાષ્ટ્ર પધાર્યા. ધર્મ-પરિભ્રમણ કરતા તેમને અનેક શિષ્યો બનાવ્યા તેમાંથી ત્રણ ધર્મગુણ સંપન્ન શિષ્યોને દિક્ષા આપી.  

(૧).અમરેલી પાસેના ઉમરાળા ગામના શ્રી મયાશંકર નરભેરામ જોષી...શ્રી દત્તપ્રકાશજી...
(૨).સુરત પાસેના દીહેણ ગામના શ્રી જમીયતરામ જીવણરામ ભટ્ટ...શ્રી શિવપ્રકાશજી...
(૩).મુંબઈથી મુળ દીહેણનાજ વતની શ્રી જયશંકર તુળજાશંકર ભટ્ટ...શ્રી વિષ્ણુપ્રકાશજી... 

આ ઉપરાંત શ્રી ભાવપ્રકાશજી-લખતર અને શ્રી સોમેશ્વર તીર્થ સ્વામીજી-કડી તેમના શિષ્યો હતા. શ્રી વિષ્ણુપ્રકાશજીના શિષ્ય મુકુંદપ્રકાશજી હતા.

        શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજીને પોતાની અંતિમ ક્ષણોનો ખ્યાલ આવી જતાં ત્રણેય શિષ્યો તથા ભક્ત સમુદાયને આખરી ઉપદેશ આપ્યો અને પોતે 'શક્તિપાત' કરેલ શ્વેતરંગનું શિવલીંગ પુજનાર્થે આપી સંવત ૧૯૭૨ નાં આસોવદ અગિયારસને રવિવારે સમાધિસ્થ મુદ્રામાં બ્રહ્મલીન થયાં.
 
લીંબડી નદીના કાંઠે ભટ્ટની વાડીમાં સમાધિ કરવામાં આવી. 'શક્તિપાત' કરેલ શિવલીંગ પુજનાર્થે આપેલ તેની પ્રતિષ્ઠા કરી,નાનું શિવાલય વિ.સં ૧૯૭૮ માં બાંધવાનું શરુ કર્યું. વિ.સં ૧૯૭૯ ના વૈશાખ સુદ પૂર્ણિમાએ સંપૂર્ણ થયું. ભક્ત સમુદાય અને દર્શનાર્થીઓનો પ્રવાહ વહેવા લાગ્યો. ત્રણેય શિષ્યોની પ્રેરણા અને ભક્તોના સહકારથી આ જ જગ્યા પર આરસના દ્વારવાળું ભવ્ય શિવાલય સુવર્ણકળશ ધ્વજારોપણની વિધિ સાથે વિ.સં ૧૯૯૪ ના ફાગણ વદ પાંચમને સોમવારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. જે આશ્રમ ભારતભરમાં 'જગદીશ આશ્રમ' કે 'શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી આશ્રમ' ના નામે પ્રખ્યાત છે.  

શ્રી જગદીશ આશ્રમમાં નિજમંદિરમાં ગણપતિ, હનુમાનજી, ચંડ, પોઠીયો-કાચબો
, શિવ-પાર્વતી, ગંગામૈયાની મૂર્તિઓ છે. શંકરના મંદિરનો પ્રશાદ તપોધન બ્રાહ્મણ તથા અતિથિ બાવા સિવાય કોઈએ ગ્રહણ કરાય નહીં. શ્રી જગદીશ આશ્રમ શંકરનું મંદિર હોવા છતાં તેનો પ્રસાદ લેવામાં કોઈ બાદ નથી કારણકે એ થાળ પર ચંડની દ્રષ્ટિ પડે છે. જે શાસ્ત્રોક્ત પ્રમાણ છે.
 
શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજીની પાદુકા તથા મૂર્તિ તેમના નિત્યકર્મના સાધનો, વસ્ત્રો, વાસણો, તેમના હસ્તાક્ષર તેમજ અપ્રાપ્ય ધાર્મિક પુસ્તકો હાલ સંગ્રહિત છે.
 
શ્રી દત્તપ્રકાશજીનાં સાધનાખંડમાં ભોયરું, ગુરુ મહારાજની ચાખડી, ગણપતિ, શિવલીંગ, શાલીગ્રામ યંત્ર દર્શનીય છે.
 
શ્રી વિષ્ણુપ્રકાશજીનાં સાધનાખંડમાં ભોયરું, શિવપુરાણ પગપેટી-યંત્ર-આસનોના ફોટા દર્શનીય છે.
 
શ્રી શિવપ્રકાશજીનાં સાધનખંડમાં ભોયરું, પાદુકા દર્શનીય છે. બાજુમાં અન્નપુર્ણા ભવન અને યાત્રાળુઓ-ગુરુભકતો માટે નિવાસ વ્યવસ્થા છે. જ્ઞાનમંડપ કે જ્યાં ચાતુર્માસ કથા વંચાય છે. અહીં દુર્ગાદેવીની
મૂર્તિ છે. આ મૂર્તિને કીંમતી ગણીને બ્રિટીસરો ઈંગ્લેન્ડ લઇ ગયા હતા. કઈ ધાતુ છે તે તપાસવા જમણા હાથની પહેલી આંગળી ખંડીત કરી હતી. ત્યાં ખરાબ પરિણામ આવતા મૂર્તિ પરત મોકલવાની સુચના થઇ. સ્ટીમરમાં કલકત્તા ઉતારવામાં આવતા તે રસીદમાં નોંધાયેલ વજન ૫૪ બેંગાલી મણ છે. ત્યાંથી રાજકોટ-સુરેન્દ્રનગર-લીંબડી લાવવામાં આવી. જગદીશ આશ્રમમાં ક્રેઈંન દ્વારા અહીં મૂકવામાં આવી.
 
શ્રી શિવપ્રકાશજીએ આ મૂર્તિનું નામ દુર્ગાદેવી આપ્યું. આ મૂર્તિની કોઈ કુંવારી કન્યાનું સગપણ ન થતું હોય તે બધા રાખે કે માતાજીને ચુંદડી ચડાવીશ... તેનું કામ સફળ થાય છે. માતાજીને એક ચુંદડી એક જ વખત ઓઢાડવામાં આવે છે.
 
માતાજીની પાસેની બાજુ ગુરુમહારાજનું કેનવાસ પર દોરેલું મોટું પેઈન્ટીંગ
છે. જે જામનગર સ્ટેટના પેઈન્ટર અને ગુરુ મહારાજના ભક્ત શ્રી કેશવરામ સદાશીવ કારખાનીશે વિક્રમ સંવત ૧૯૯૧ એટલે કે સને ૧૯૩૫ માં વિજયાદશમીને દિવસે બનાવેલ છે. જેનાં તમે ગમે તે તરફથી દર્શન કરો તે તમારી તરફ હોય તેવું લાગે છે. ફક્ત એક જ રાતમાં આ પોસ્ટર બનાવેલ છે. ત્યાર પછી પોતાની પીછી કોઈ કામ માટે ઉપાડેલ નથી.
 
આશ્રમમાં સદાવ્રત અન્નક્ષેત્ર, ધાર્મિક કાર્યો અને સેવા કાર્યો થાય છે. અષાઢ સુદ પુનમે ગુરુપૂર્ણિમા તથા આસો વદ અગિયારસને ગુરુ મહારાજનો આરાધના મહોત્સવ તથા મહાશિવરાત્રી જેવા ઉત્સવો ઉજવાય છે. ભારતભર અને વિદેશ વસના ગુરુભક્તો અને શ્રદ્ધાળુઓ આ પાવન પ્રસંગોએ પધારી દર્શન-કૃપાથી પાવન થાય છે.
"સાનુકુલે જગન્નાથે સાનુકુલમ્ જગત્રયમ્
 પ્રતિકુલે જગન્નાથે પ્રતિકુલમ્ જગત્રયમ્"

|જય જગદીશ|  

Raj Rajeshwar Dham - Limdi (Tridev Temple)






Shri Raj Rajeshwar Dham is situated on National Highway No8. It is near a town of limdi in Surendranagar district.

According to hindu culture there are rarely 1-2 temples where Brahma, Vishnu and Mahesh lords are under a single hood. Well luckily it's one of them.

A huge infrastructure as well as very well planned architecture improves popularity of the "Shri Raj Rajeshwar Dham". The temple is built on a hundred acre piece of land, the initial acreage donated by the people of Jakhan Village. We strongly recommend you peoples to do visit over here.

Below are the social services provided at Shri Raj Rajeshwar Dham:

  •     Divyayatan Spiritual Center;
  •     All Faiths Prayer Hall;
  •     Lakulish Institute Of Yoga;
  •     English Medium Higher Secondary and Sanskrit Schools;
  •     Fine Arts Center for Classical Indian Music and Dance;
  •     Hospital; Center for Ayurved;
  •     Center for Vedic Education;
  •     Center For Research In Yoga, Ayurved and Indian Philosophy;
  •     Yagnashala;
  •     Snan Kund;
  •     Gowshala;
  •     Sadhana Rooms;
  •     Book Stalls;
  •     Exhibition Hall and Yoga Archives;
  •     Administration Buildings;
  •     Students Hostels;
  •     Visitor Accommodation;
  •     Dormitories;
  •     Vanaprastha Hostel/Rooms/Cottages;
  •     Residential Accommodation For Saints and Staff;
  •     Sadhana Cottages;
  •     Travelers’ Cafeteria, Kitchens and Dining Rooms;
  •     Children’s Playgrounds;
  •     Gardens and Playgrounds;
  •     Parking.
For more details: Click Here

Panchal Pradesh - Land of Pandava's



કાઠીયાવાડ નું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે.

આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશના નામે જાણીતો છે. થાન પાસે આવેલા તરણેતરમાં તરણેતરિયો મેળો આજે ય ભરાય છે.

અમૃત પંડયા નોંધે છે કે પાંચાલ નામ સૌરાષ્ટ્રમાં શી રીતે આવ્યું તે સમજાતું નથી. પાંચાલી પાંડવોના વખતમાં થઈ ગયાં. રામચંદ્રજી એના પહેલાં ઘણા વરસે થયા. કેટલાક માને છે પંચાળ નામ પાંચાલ દેશ પરથી આવ્યું છે. મૂળ પાંચાલ ઉત્તર ભારતમાં હાલ બરેલી અલિગઢ છે ત્યાં હતું. દ્રોપદીનો પિતા તેનો રાજા હતો. કિંવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવેલા. અર્જુને અહીં મત્સ્યવેધ કરેલો. દ્રોપદી અર્થાત્ પાંચાલીના નામ પરથી પંચાળ પ્રદેશ કહેવાયો હોવાનું અનુમાન છે. આ કંકુવરણી (રતુંબડી) ધરતીના પટાધર પુરુષો નમણી નારીઓ, નવરંગ તોરિંગ (અશ્વો). કિલ્લોલતા સારસ અને મૃગલા વખણાય છે. એ દુહા કહે છેઃ
આછા પાણી વીરડે, ધરતી લાંપડીઆળ
સરતીર્યાં સારસ લવે, પડ જુઓ પાંચાળ,

ગૂઢે વસ્તર ગોરિયાં, પગ પીંડીનો તાલ,
પનઘટ ઉપર પરહરે પડ જુઓ પાંચાળ,

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.

Be with Nepal !




સુરેન્દ્રનગર નાં વ્હાલા રહેવાસીઓ,
આપ સૌ જાણતા હશો કે નેપાળ માં આવેલ ભયાનક ભૂકંપ બાદ પરિસ્થિતી ખુબજ દયનીય બની છે અને તેને થાળે પડતા ઘણો સમય લાગશે. ક્યારેક નવરાશ નાં સમય માં કોઈ સર્ચ એન્જિન માં નેપાળ ભૂકંપ વિષે માહિતી મેળવવાનો પ્રયાસ કરશો તો તમને પણ શરીર માં કંપારી છૂટી જશે. નાના બાળકો, વૃદ્ધો, બીમારો, ગર્ભવતી સ્ત્રીઓ... ખરેખર આ કુદરત નાં પ્રલયે ક્ષણ ભર માં જીવન ખુબજ ક્રુરતા થી રહેશી નાખ્યું છે. આપ સૌ ને ખબર હશે કે ભૂકંપ અને ત્યારબાદ નું જીવન કેટલું બિહામણું હોય છે કેમકે આપણે સૌ ૨૦૦૧ માં આવા દુશ્મન માટે પણ નાં ઇચ્છીએ તેવા કુદરત નાં વિકૃત સ્વરૂપ એવા ભૂકંપ અને ત્યારબાદ નાં તેના બિહામણા સ્વરૂપ ને નજીક થી જોયો છે.
નેપાળ માં આવેલા આવા કપરા સમયને શું ફક્ત સમાચાર પત્રો માં વાંચી-જોઇને ચાની ચુસ્કી લેતા લેતા નિસાસો જ નાખવાનો? આજે આપણને સૌને માનવતા નિભાવવાનો મોકો મળ્યો છે, માનવ સેવા એજ સર્વોપરી એ આપણી ધરતી નાં સંસ્કાર છે, નેપાળ નાં આવા કપરા સમયે સુરેન્દ્રનગર નાં જુવાનોએ ભેગા થઇ ને માનવતા માટે કશુંક કરી છૂટવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ. ઘણા લોકો તેમ પણ કહેતા હોય છે કે ઉપરવાળો ની ઇચ્છા તેમાં આપણે શું કરી શકીએ, જો ઉપરવાળો જે નેપાળ માં થયું છે તેવું જ ઇચ્છતો હોય તો કમસે કમ હું માનવતા માટે ઉપરવાળા સાથે પણ લડવા તૈયાર છું. આપ સૌ જો નેપાળ નાં લોકો ને કોઈના કોઈ રીતે મદદ કરવા તૈયાર હોય તો મને તરત જવાબ આપશો જેથી આપણે સૌ ભેગા મળીને અસરગ્રસ્ત લોકો નાં આંસુ લુછવા એક નાનકડો પ્રયાસ કરી શકીએ.

Saurashtra - A land of victorious peoples and saints



સૌરાષ્ટ્ર એટલે શૂરા, વીર, વાળા, સંતોની ભૂમિ. અહીં એક એકથી ચડે તેવા શૂરવીર, વીર,સંતો વગેરે થઈ ગયા એટલે સૌરાષ્ટ્રની ભોમકા શૂરા, વાળા, વીર, સંતોની કહેવાય છે.

વાત છે વીસાવદર તાલુકાના મોટા મોણપુરી ગામની. આ ગામના દરબાર માત્રાવાળા હતા. એક વખત તેઓ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. ત્યારે મોણપુરીની બાજુમાં ખોડિયાર જજાનો પાણીનો ધૂનો આવ્યો. તેઓ ત્યાંથી જતા હતા એટલામાં ધૂનામાં પાણી પીવા આવેલીસિંહણે ભયંકર વેદના સાથે ગર્જના કરી. વાળાએ ત્યાં જોયું તો ધૂનામાં રહેતા મગરે સિંહણનો પગ પકડ્યો હતો. તે સિંહણને પાણીમાં ખેંચી ગયો અને તેને મારીને ખાઈ ગયો.

ગામ વાળા સ્તબ્ધ થઈ ગયા. તે પાછા ફરવા જતા હતા ત્યાં સામેથી સિંહણની ચીસો સાંભળી દોડી આવેલો સિંહ જોયો. સિંહ શું કરે છે. તે જોવા માત્રાવાળા ઝાડ ઉપર ચડી ગયા.

સિંહણને ખાઈ તૃપ્ત થયેલો સુસ્ત મગર બે દિવસ ધૂનામાંથી ન નીકળ્યો.સિંહ ભૂખ્યો-તરસ્યો ત્યાં જ બેસી રહ્યો. માત્રાવાળા પણ સિંહ શું કરશે તેની રાહમાં બે દિવસ ઝાડ પર બેસી રહ્યા. ત્રીજે દિવસે સિંહ પાણી પીવા ધૂના તરફ ગયો. ફરીથી શિકાર મળશે તે લાલચમાં મગર સિંહને ખાવા આવ્યો. સિંહે ચાલાકી વાપરી. તે મગરને લાલચ આપીને પાણીથી દૂર લઈ ગયો. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. સિંહે અંતે મગરને મારી નાખ્યો. સિંહ ખૂબ ધાયલ થઈ ગયો.

સિંહની વીરતા જોઈ માત્રાવાળા સિંહને પોતાના ગઢમાં લાવ્યા ત્યાં સિંહના દવા દારૂ કર્યા. સિંહ સાજો થયો. તે વાળાની સાથે જ રહેવા લાગ્યો

કેટલી ઉમદા દિલેરીના દરબાર વીર માત્રાવાળા તો કેટલી ઉમદા ભાવના વાળો સિંહ ? જે તેની સિંહણના મોતનો બદલો લેવા બે બે દિવસ ભૂખ્યો- તરસ્યો રહ્યો ને મોત સાથે ઝઝૂમ્યો અને જ્યારે માત્રા વાળાનુ અવસાન થયા પછી તેણે કંઈ પણ ખાધુ નહિ અને બે દિવસ પછી તેનુ પણ મૃત્યુ થઈ ગયુ


Kathiyawad, A poem of glories of motherland

જય કાઠીયાવાડ......!!
ગામડાનો ગુણાકાર...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વાૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કાૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કાૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ઘણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહીમાં ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............

Feelings of working women




મિત્રો , આજની આ પોસ્ટ સમજવી થોડી મુશ્કેલ છે એટલે બે વખત વાંચવા માટે વિનંતિ કરુ છું અને જો આ પોસ્ટ સમજાય જાય તો તો બેડો પાર.જરૂર વાંચજો,ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો...
કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો :
આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે.
એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો.
આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે.
એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય. તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે.
એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે.એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં.
હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,કેમ કે તમને જ નહિ ગમે.કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે. એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે.
બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો તમારા આખા ઘરમાં તમને એક ને જ એ ઓળખતી હોઈ તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો! તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ!
તમારું શુ કહેવુ છે, મિત્રો ?

Customer care service of common man


એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક
સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને સાંજે 7 વાગે પરત
આવે. એકવાર ઉનાળામાં બસમાં બેઠા બેઠા જ એમને વિચાર આવ્યો કે મને આ આકરા તાપમાં તરસ લાગે છે તો આ બસના મુસાફરોને પણ તરસ લાગતી જ હશે. એમા પણ નાના બાળકોને તો પાણીની પ્યાસ વધુ હેરાન કરતી હશે. મારે આ મુસાફરો માટે કંઇક કરવુ છે. એમણે એક નાનું સિન્ટેક્ષનું આઇસબોક્ષ ખરીદ્યુ. થોડી પાણીની બોટલ પણ ખરીદી. બસ ઉપડવાની હોય એ પહેલા પાણીની બોટલ ભરીને પેલા આઇસ
બોક્ષમાં ગોઠવી દે અને 10 રૂપિયાનો બરફ વેંચાતો લઇને બોટલની ઉપર બરફ રાખી દે જેથી પાણી ઠંડુ રહે. અમદાવાદથી પાછા આવતી વખતે પણ એ જ રીતે પાણીની બોટલો ભરીને રાખે અને 10 રૂપિયાનો બરફ પણ નાંખે. બસ ઉપડે એટલે બધાની ટીકીટ કાપી લે પછી ફ્રી થઇને બસના બધા મુસાફરોને ઠંડુ પાણી પાવા નીકળે. નાના બાળકોને પાણી પીવામાં તકલીફ ન પડે એટલે સાથે નાની પ્યાલી પણ રાખે અને
બાળકને આ પ્યાલીમાં પાણી ભરીને આપે જેથી એને પાણી પીવામાં સરળતા રહે. સરકારે આ માટે ક્યારેય એને વધારાનો કોઇ પગાર નથી આપ્યો કે એની સેવાને બીરદાવતો એક પત્ર પણ નથી લખ્યો અને છતાય આ માણસ એ જ ઉત્સાહ સાથે છેલ્લા 12 વર્ષથી દર ઉનાળામાં અનેક મુસાફરોના પેટ ઠારવાનું કામ કરે છે. વઢવાણમાં રહેતા હનિફભાઇ બેલીમની આ નિસ્વાર્થ સેવાભાવનાને કોટી કોટી વંદન. મિત્રો , મોટી મોટી કંપનીઓના ‘કસ્ટમર કેર’ નામના વિભાગોમાં ‘કસ્ટમર’ ની ‘કેર’ કરવાના બદલે શોષણ જ થાય છે ત્યારે
હનિફભાઇ જેવી વ્યક્તિઓ ‘કસ્ટમર કેર’ની સાચી વ્યાખ્યા એમના કાર્ય દ્વારા સમજાવી જાય છે.

Fine tune your childish moments



મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ

—————————————-

અડકો દડકો દહીંનો દડકો દહીં દૂજે, દરબાર દૂજે વાડી માંહીનો વેલો દૂજે ઉલ મુલ ધતુરાનું ફુલ ખાઈ જા શેરડી ખજૂર

—————————————-

હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

—————————————-

વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોરા લાવતા છોકરાઓને સમજવતા એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરરર માડી

—————————————-

મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે દૂધ ખાય, દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે

—————————————-

એક બિલાડી જાડી તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં તે તરવા ગઈ તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોઢામાં આવી ગયો મગર બિલ્લીને ખાઈ ગયો

મિત્રોમાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો

Thank You, Authorities for maintaining heritage sites


We would like to thank "The Authorities" for taking actions towards maintaining cleanness of our heritage sites.

You are in my dream - Gujarati Poem


સામે રહો નહીં તો સપનામાં આવશો

નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો !

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો

ને જો નદી થશો તો દરિયામાં આવશો !

ચારે તરફ તમોને જોયા કરું છતાં

ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો !

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર

અફસોસ કે નગરના નકશામાં આવશો !

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો

બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો !

Loard Ganesha - Fatsar Temple, Wadhwan City










Ganpati fatsar is a temple of ganpati dada located at wadhwan surendranagar.

An amazing places of Surendranagar District





સુરેન્દ્રનગર જીલ્‍લાના જોવાલાયક સ્‍થળો.....

વઢવાણ

 સુરેન્‍દ્રનગરથી ત્રણેક કિ.મી. ના અંતરે ૪૫૦ વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી ચૌદ કિ.મી. ના અંતરે દેદાદરા ગંગવો કું ડ આવેલો છે. આ ચાલુક્ય કાળનો હોવાની માન્‍યતા છે. એ જ રીતે વઢવાણમાં સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવેલા ગંગાવાવ પ્રાચીન વાવ છે. પ્રજા માટે પ્રાણ સમર્પણ કરી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ (ઇ.સ. અ ૧૨૭૫) ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધુના સ્‍વૈચ્‍છિક બલિદાનની દંતકથા ધરાવતી માધાવાવ ઉપરાંત રામપરાની લાખાવાવ પણ જાણીતી છે.

દસાડા

એક જમાનામાં ગાઢ જંગલ દસાડા ગામની જગ્‍યાએ હતું. તેમાં વેજ આયરનો નેસ હતો. તેના નામ પરથી અહીં વેજાસર તળાવ આવેલું છે અને વેજનાથ મહાદેવનું સ્‍થાનક છે. દસાડા થી બારેક કિ.મી. ના અંતરે આવેલ પંચાસર વચ્‍ચેના વિસ્‍તારના જંગલમાં જયશિખરી રાજના કુંવર વિખ્‍યાત વનરાજ ચાવડાનો જન્‍મ થયો હતો. ઝીંઝુવાડાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા વચ્‍છરાજબેટ, ઝીંઝુવાડાનો દરવાજો, રાજરાજેશ્વરી માતાનું મંદિર સવા ભગતનું પીપળીધામ, ઘુડખર અભયારણ્‍ય આ વિસ્‍તારમાં જાણીતા છે.

લખતર

 લખતર તાલુકામાં તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું મંદિર વિઠ્ઠલગઢ ખોડીયાર મંદિર, વણાનું વટેશ્વર મહાદેવ, ગેથળા હનુમાનની જગજાણીતા સ્‍થાનકો છે.

લીંબડી

 લીંબડીથી લગભગ ૧૧ કિ.મી. આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ હોવાની વાયકા છે. અહીં આવેલ ગંગેશ્વર મહાદેવ પાસેની ગંગવો કુંડ, જસમા ઓડણનું મંદિર, રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ બંધાવેલું. ઉત્‍ખનનમાં હડપ્‍પન, તથા ત્‍યારબાદની સંસ્‍કૃતિના અવશેષો મળ્યા હતા. ૧૧૦૦ વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈનતીર્થ આવેલું છે. લીંબડી શહેરમાં ગાંધી સ્‍મૃતિ મંદિર, કુલનાથ મહાદેવ, સૌરાષ્‍ટ્ર નિમ્‍બાર્ક પીઠ, રામકૃષ્‍ણ મિશન, કબીર આશ્રમ, જાખણનું ત્રિમૂર્તિ મંદિર, ચોકડી ચરમાળીયા મંદિર, નળ સરોવર અભયારણ્‍ય પ્રખ્‍યાત છે.

હળવદ

હળવદથી ૨૧ કિ.મી. દુર બ્રાહ્મણી નદીના કાંઠે વસેલાં રણકાંઠાના ટીકર (રણ) ગામમાં ઇ.સ. ૧૮૩૭ માં બંધાયેલા જૈન મંદિર, હળવદની દક્ષિણે ૧૬ કિ.મી. દૂર આવેલ કન્‍ડોલીયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા (સુંદરી ભવાની) ના સ્‍થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્‍ણની અતિ પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત સતીના પાળીયા, સામતસર તળાવના કાંઠે આવેલો એક દંડીયા લાકડાનો મહેલ, દાઉદી વ્‍હોરા મૌલાકાજીનું ધાર્મિક સ્‍થાન, ભવાની – ભૂતેશ્વર મહાદેવ ૫૦૦ વર્ષ પુરાણું છે. શરણેશ્વર મહાદેવ તથા તેની પાસેની વાવ અતિ પ્રાચિન છે.

સાયલા

ચોટીલાની પૂર્વે ૧૬ કિ.મી. ના અંતરે આવેલ ધાધલપુર ગામ બે વાતે વિખ્‍યાત છે. અણહીલવાડ પાટણના કરણદેવ સોલંકીના વિખ્‍યાત રાણી મીનળદેવી એક વાર ધોળકા જતા અહી રોકાયા હતા. અહીંના એક સિધ્‍ધસંતના દર્શન અને આશિર્વાદથી તેમને પુત્ર જન્‍મ થયેલો. અહીંનો કિલ્‍લો અને અડાળાનું તળાવ, ધુંધળીનાથ સંત, મિનળવાવ, સેજકપરનો નવલખો (શિવમંદિર) પ્રસિધ્‍ધ છે. તો સાયલાની લાલજી મહારાજની જગ્‍યા, રાજસોભાગ આશ્રમ, ડોળીયાનું ભવ્‍ય જીનાલય દર્શનીય છે.

ચોટીલા

રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ચોટીલા સૌરાષ્‍ટ્રનું મહત્‍વનું યાત્રાધામ છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્‍મસ્‍થાન છે. ચોટીલાથી અઢારેક કિ.મી. ના અંતરે દ્રૌપદીનો સ્‍વયંવર ત્રિનેત્રેશ્વર (તરણેતર) સ્‍થાને થયાની લોકવાયકા છે. જ્યાં જગ વિખ્‍યાત લોકમેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના દિવસે યોજાય છે. આ વિસ્‍તારમાં જુના સુરજદેવળનું પ્રાચીન સૂર્ય મંદિર, ચોટીલાના દક્ષિણે કાંઠાની ટેકરીઓ આણંદપુરનું અનંતેશ્વર મહાદેવ, આણંદપુરનો નવલખો, ગુપ્‍તવાસ દરમ્‍યાન પાંડવોએ નિવાસ કર્યાની વાયકા છે તે ભીમ ગુક્ષ, ચોબારીની ચૌમુખી વાવ, કાટીયા મહાદેવ, કાળાસરના દંતકથા મહાદેવ અને મચ્‍છુમાતા, થાનનું વાસુકી મંદિર, અનસૂયા કુંડ ગેબીનાથનું ભોયરૂં, અવલીયા ઠાકર, બાવન હનુમાન જાગ્‍યા જાણીતા સ્‍થાનો છે. થાનનો સિરામીક ઉદ્યોગ જાણીતો છે.

મૂળી

મૂળી તાલુકામાં આવેલ દુધઇનું વડવાળા – મંદિર ૨૫૦ વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. બ્રહ્માનંદ સ્‍વામીએ બંધાવેલું સ્‍વામિનારાયણ મંદિર નકશીદાર હવેલી તેમજ માંડવરાયજીનું પ્રખ્‍યાત મંદિર મૂળી ખાતે આવેલા છે. સરાનું મેલડી માતાનું સ્‍થાનક અને ઉમરડાનું ૧૪૦ વર્ષ પુરાણું બીલેશ્વર મહાદેવનું મંદિર પણ દર્શનીય છે.

ધાંગધ્રા

ફલકું નદીના કાંઠે વસેલું આ શહેર ઝાલા રાજવીનું ગામ છે. ત્‍યાં રાજવીનો મહેલ સુરજમહેલ, ગેસ્‍ટ હાઉસ તરીકે ઓળખાતું મધુરભુવન, માન મહેલાત, જેગાસર તળાવ, માનસર તળાવ, શીતળા માતાજીનું મંદિર, ધાંગધ્રા કેમિકલ તથા પથ્‍થરમાંથી કલાત્‍મક કૃતિઓ કંડારતા સોમપુરા અહીંની શાન છે. કંકાવટીની માત્રી વાવ રક્ષિત સ્‍મારક છે. તાલુકાના ઘુમક ગામે દ્રૌપદીનાં કુંડ તરીકે ઓળખાતા પ્રાચીન કુંડ અને જુના મંદિરોના અવશેષો આવેલાં છે.